Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અટીકા ન્યુ નહેરૂનગરની નિમીષા ગોગરાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૫: અટીકા ન્યુ નહેરૂનગર આહિર ચોક શેરી નં. ૧૦માં રહેતી નિમીષા રમેશભાઇ ગોગરા (ઉ.વ.૨૧) ગઇકાલે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ એન. જી. ભદ્રેચાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નિમીષા ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતી. પિતા રમેશભાઇના કહેવા મુજબ તે લાંબા સમયથી બિમાર રહેતી હતી. ગઇકાલે અચાનક બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.

માયાણીનગરના બહાદુરસિંહ રાઠોડનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં માયાણીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને કેટરર્સમાં કામ કરતાં બહાદુરસિંહ મગનભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃતકને એક બહેન છે. પોતે  અપરિણિત હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(12:45 pm IST)