Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કુંકાવાવ પાસે અકસ્માતમાં ઘવાયેલા અમરેલીના ભાનુબેન મુંધવાનું રાજકોટમાં મોત

વીસ દિવસ પહેલા મારૂતી વાન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો'તો

રાજકોટ, તા. ૫ :. અમરેલી નજીક કુકાવાવ પાસે વીસ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલ ભરવાડ મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ અમરેલીના વોરાકોટડા રોડ પર રહેતા ભાનુબેન બટુકભાઈ મુંધવા (ઉ.વ. ૪૦) ગત તા. ૧૩-૧૨ના રોજ મારૂતિ વાનમાં બેસીને જતા હતા ત્યારે વાન ઝાડ સાથે ભટકાતા ભાનુબેનને ઈજા થતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમ્યાન ગઈકાલે મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે કાગળો કરી અમરેલી મોકલવા તજવીજ હાથ ધરી છે.(૨-૩)

(3:39 pm IST)