Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ડો. આંબેડકરજીના ૬૩ માં મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ગોંડલમાં કાલે ભીમ ભજન - સંતવાણી

રાજકોટ તા. ૪ : વિશ્વરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીના ૬૩ માં મહા પરિનિર્વાણ દિવસ નિમિતે ગોંડલ આંબેડકરનગર પંચ ભાઇઓ દ્વારા ભીમ ભજન થકી સ્વરાંજલીનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા. ૬ ના શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ડો. આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ભીમ ભજન અને સંતવાણી રાખેલ છે.

આંબેડકરનગર સબ જેલ પાસે, વોરાકોટડા મેઇન રોડ, ગોંડલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ભરતબાપુ એમ. પરમાર, ધીરૂભગત ગુરૂ જયદેવબાપા વકતા, માણંદભાઇ જાદવ ભાગ લેશે. ભીમ ભજન સંતવાણીનો સર્વેએ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગોંડલ આંબેડકરનગર પંચ ભાઇઓ સવજીભાઇ નાગજીભાઇ સાગઠીયા, માવજીભાઇ સોમાભાઇ ચાવડા, પ્રેમજીભાઇ જાદવ, ધીરૂભાઇ લખમણભાઇ મકવાણા, કાળુભાઇ મેઘાભાઇ ચાવડા (સાણથલી), નાથાભાઇ અમરાભાઇ મકવાણા નજરે પડે છે.

(3:51 pm IST)