Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

રાજકોટમાં આયુર્વેદના તબીબોની કોન્ફરન્સ

૫૦૦ થી ૬૦૦ આયુર્વેદ સ્નાતકોની હાજરીમાં નિષ્ણાંત ડોકટરોની ટીમના વકતવ્ય : વિવિધ વિષયો ઉપર લાઈવ વર્કશોપ : ૨૩મીએ કાર્યક્રમ

રાજકોટ, તા. ૪ : ગુજરાત આયુર્વેદ બોર્ડ, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે એક દિવસીય આયુર્વેદ કોન્ફરન્સની શૃંખલા ચાલુ કરેલ છે, જેના અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની આગામી તા.૨૩ ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે, આ પૂર્વે બોર્ડ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર ખાતે સફળતાપૂર્વક કોન્ફરન્સનું આયોજન થયેલ છે.

આ કોન્ફરન્સ અંતર્ગત રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના અંદાજે ૫૦૦ થી ૬૦૦ આયુર્વેદ સ્નાતકો ઉપસ્થિત રહેશે આ કોન્ફરન્સમાં આયુર્વેદના વિવિધ વિષયો પર ગુજરાતના નામાંકિત ડોકટર્સ પોતાના વકતવ્ય આપશે.

આ કોન્ફરન્સમાં આયુર્વેદના રીસર્ચ કક્ષાના કેન્સર, કિડની, પંચકર્મ, વા - સાંધાના દુઃખાવા, પેઈન મેનેજમેન્ટ વિવિધ વિષયો પરના વકતવ્યો તેમજ નિષ્ણાંતો દ્વારા લાઈવ વર્કશોપનું આયોજન કરેલ છે.

કોન્ફરન્સ અંતર્ગત રજીસ્ટર્ડ આયુર્વેદ સ્નાતકોની નોંધણી ચાલુ છે જેના અંતર્ગત પાર્ટીસીપેટ વૈદ્યને ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે તેમજ ડેલીગેટને બ્રેકફાસ્ટ, લન્ચની વ્યવસ્થા રાખેલ છે અને તેમને ઉપયોગી એવી કીટ અને ગીફટ પણ આ કોન્ફરન્સની યાદગીરીરૂપે આપવામાં આવશે.

આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે રાજકોટ કાર્યક્રમના ઓર્ગેનાઈજીંગ સેક્રેટરી તેમજ બોર્ડ મેમ્બર ડો. જયેશ રાજયગુરૂ, ડો. જયસુખ મકવાણા તેમજ કમીટી મેમ્બરો ડો.જયેશભાઈ રાજયગુરૂ, ડો. પ્રશાંત ગણાત્રા, ડો. ભાવના ચાવડા, ડો. કેતન ભીમાણી, ડો. કે. એમ. જોષી, ડો. સંજય જીવરાજાની, ડો. એકતા પટેલ, ડો. વિશાલ ભીમજીયાણી, ડો. ભગવાનજી ફળદુ, ડો. પ્રણવ ઉનડકટ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કોન્ફરન્સની વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે ડો. જયેશ રાજયગુરૂ - મો.૯૮૨૫૫ ૮૩૬૧૮, ડો. વિશાલ ભીમજીયાણી - મો. ૯૮૨૫૧ ૧૦૮૦૭, ડો. જયસુખ મકવાણા - મો. ૯૪૨૮૨ ૦૪૦૮૯નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૩)

(12:48 pm IST)