Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સાગરનગરના છ દિ' પહેલાના ડખ્ખામાં ઝુબેર સમાની ભરવાડ શખ્સો સામે વળતી ફરિયાદ

અનમોલ પાર્કનો ઝુબેર જીંજરાના ડાળખા લેવા ગયો ત્યારે જાલાભાઇ ભરવાડે 'અમારા સિવાય કોઇ ડાળખા લઇ શકે નહિ' તેમ કહી પાઇપથી માર માર્યો'તો

રાજકોટ તા. ૪: થોડા દિવસ પહેલા સાગરનગરમાં ભરવાડ પ્રોૈઢે વાહન રસ્તા પર રાખીને બેઠેલા મુસ્લિમ યુવાન ઝુબેરને સાઇડમાં વાહન લેવાનું કહેતાં આ પ્રોૈઢ પર હુમલો થયો હતો. બાદમાં ઝુબેરે બીજા ત્રણ મિત્રો સાથે મળી જે કોઇ કડા પહેરીને નીકળે તેની સાથે માથાકુટ કરવાનું શરૂ કર્યુ હતું. આ ગુનામાં આજીડેમ પોલીસે  ઝુબેર બસીરભાઇ સમા, જાવેદ ઉર્ર્ફ દુરો હનીફભાઇ અજમેરી, યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા અને મુર્તુઝા વહાબભાઇ ર્મિઝા બેગ (રહે. બધા દુધની ડેરી પાસે)ને ઝડપી લઇ જાહેરમાં સરભરા કરી હતી. દરમિયાન ઝુબેર બસીરભાઇ સમા (ઉ.૨૦-રહે. અનમોલ પાર્ક, આજીડેમ પાસે)એ જાલાભાઇ ભરવાડ તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

ઝુબેરે ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૮મીએ સવારે સાડા નવેક વાગ્યે પોતે નાના ભાઇ મુસ્તાકને એકસેસમાં બેસાણી સાગરનગરના ખુણે જીંજરાના ડાળખા લેવા ગયા હતાં ત્યારે જીંજરાવાળા દેવીપૂજક યુવાનની લારી પાસે ઉભેલા ભરવાડ શખ્સ કે જેને લોકો જાલાભાઇ કહે છે તેણે 'અહિથી અમારા સિવાય જીંજરાના ડાળખા કોઇ લઇ શકતું નથી' તેમ કહી ગાળો દેતાં માથાકુટ થઇ હતી અને જાલાભાઇએ રિક્ષામાંથી લોખંડનો પાઇપ કાઢી હુમલો કરી દીધો હતો. એ પછી બીજા બે શખ્સોએ પણ આવીને ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી ધમકી દધીી હતી. ઇજા થતાં વિદ્યાનગર રોડ પરની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પીએસઆઇ એમ. પી. સોનારાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)