Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટમાં ગુરૂવારે NCPનો રોડ શોઃ ફિલ્મ કલાકારો પ્રીતિ જહાંગીયાની અને આફતાબ શિવદાસાની હાજરી આપશે

રાજકોટ-૭૦ના ઉમેદવાર વિનોદભાઈ દેસાઈનો પ્રચાર કરશે : હરીધવા મેઈન રોડ ઉપરથી થશે પ્રારંભ

રાજકોટ, તા. ૪ : એન.સી.પી. દ્વારા રાજકોટ શહેરમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રોડ શોમાં હિન્દી ફિલ્મના કલાકારો આફતાબ શિવદાસાની અને પ્રીતિ જહાંગીયાની ખાસ પ્રચાર કરશે.

એન.સી.પી.ના રાજકોટ-૭૦ના ઉમેદવાર વિનોદભાઈ દેસાઈએ કહ્યું હતું કે જો હું રાજકોટમાં ચૂંટાઈ આવીશ તો લોકોના સતત સંપર્કમાં રહીશ. દરેક વોર્ડમાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્દઘાટન કરી સમિતિ બનાવીશું. વોર્ડવાઈઝ પ્રમુખોની નિમણુંકો  કરવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવેલ કે તા.૭ના ગુરૂવારે સવારે ૯ વાગ્યે હરીધવા મેઈન રોડ ઉપર આવેલા એન.સી.પી.ના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રોડ શોનો પ્રારંભ થશે. જે રામેશ્વર ચોક, શ્રદ્ધા પાર્ક, સહકાર રોડ, રામનગર, પીડીએમ કોલેજ, નવલનગર, મવડી, રાજનગર, આનંદબંગલા ચોક, ત્રિશુલ ચોક, જલારામ ચોક, વાણીયાવાડી, આનંદનગર કવાટર્સ, કોઠારીયા રોડ થઈ નંદા હોલ ખાતે સમાપન થશે. રોડ શો દરમિયાન ફિલ્મ કલાકારો આફતાબ શિવદાસાની અને પ્રીતિ જહાંગીયાની ખાસ હાજરી આપશે તેમ જણાવ્યુ હતું. તસ્વીરમાં એનસીપીના રાજકોટ-૭૦ના ઉમેદવાર વિનોદભાઈ દેસાઈ સાથે તેમના કાર્યકરોની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:12 pm IST)