Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કાલે માયાવતી રાજકોટમાં સવારે ૧૧ કલાકે રેસકોર્ષ મેદાનમાં સભા

રાજકોટ, તા. ૪ : બહુજન સમાજ પાર્ટી - ગુજરાત પ્રદેશ અને જિલ્લા આયોજીત ૧૪મી ગુજરાત વિધાસનભા સામાન્ય ચુનાવ ૨૦૧૭ના ઉપલક્ષમાં આવતીકાલે તા.૫ને મંગળવારના સવારે ૧૧ વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા, પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ, પૂર્વ સાંસદ રાજયસભા, આયર્ન લેડી, સોશ્યલ એન્જીનિયર, જીંદા દેવી, વંચિતો, પીડિતો, શોષિતો, ગરીબોનો અવાજ બહેન માયાવતીજી આ ચુનાવી જાહેરસભાને ઉદ્દબોધિત કરવાના છે.

બસપાના અધ્યક્ષ માયાવતીજી ચુનાવી માર્ગદર્શન આપવાના હોય. સૌરાષ્ટ્ર - ગુજરાતભરના બ.સ.પા.ના પ્રત્યાશીઓ, તમામ જિલ્લા, વિધાસનભા, તાલુકા, સેકટર, બુથ કમીટીના હોદ્દેદારો, સર્વ સમાજના મોભીઓ, બામસેફના કર્મશીલો, સામાજીક સંગઠનોના લીડરો, સર્વ સમાજના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા બ.સ.પા. જીલ્લા પ્રમુખ દિનેશ પડાયા (મો.૯૯૨૪૩ ૯૬૯૫૮), જીલ્લા પ્રભારી વિનોદભાઈ વાઘેલા - ભનુભાઈ ખીમસુરીયા, જીતેન્દ્રભાઈ મહીડા, કમલેશભાઈ પારધી (જી. બીવીએફ સંયોજક) દ્વારા અપીલ કરાઈ છે.

(4:08 pm IST)