Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કાલે રાજકોટની સભામા પૂ.રણછોડદાસજી મહારાજ અને પૂ.જલારામબાપાને નરેન્‍દ્રભાઇએ યાદ કર્યા

 રાજકોટઃ૪,  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કાલે રાજકોટની સભામા પૂ. રણછોડદાસજી મહારાજ અને પૂ. જલારામબાપાને યાદ કર્યા હતા નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યુ કે રણછોડદાસજીબાપાની સેવા ઓને વરેલી આ ધરતી છે.  પૂ. જલારામબાપાની સેવા ઓને વરેલી આ ધરતી છે. ત્‍યાથી મને આર્શિવાદ મળ્‍યા છે. અને એટલા માટે જેમણે  ગરીબોનું લુંટયુ છે અને મારા શબ્‍દો કાન ખોલીને કોંગ્રેસના લોકો સાંભળી લે. જેમણે ગરીબોને  લુંટયા છે તેમને પાછુ અપાવીને જ રહીશ.

 

 

(12:31 pm IST)