Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

યુવરાજનગરના મનસુખભાઇ કોળીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૪: યુવરાજનગર-૧માં ગમારા પેટ્રોલ પંપ પાસે રહેતાં મનસુખભાઇ સવશીભાઇ સરવૈયા (ઉ.૪૧) નામના કોળી યુવાનને કેન્સરની બિમારી હોઇ રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ ડી. બી. ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે ચાર ભાઇ અને અકે બહેનમાં બીજા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:10 pm IST)