Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા રાસોત્સવ

 મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જુદી જુદી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે બાલભવન ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તેમજ ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૧૦ જેટલા વિદ્યાર્થીઓ વિજેતા થયા. તમામને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષકો વચ્ચે થયેલી દાંડીયા-રાસની સ્પર્ધામાંથી ૧૧ જેટલા શિક્ષકો વિજેતા થયા અને તેમને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવરાત્રી મહોત્સવમાં મમતાબેન, શિતલબેન અને વૈદેહીબેને નિર્ણાયક તરીકેની સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી ભરતસિંહ પરમાર તેમજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:34 pm IST)