Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દામજી મેપા પ્લોટમાં માનસીક બીમારીથી કંટાળી નેહાબેન સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૪: શહેરના સહકાર રોડ પર દામજી મેપા પ્લોટમાં માનસીક બીમારીથી કંટાળી કંસારા મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ શહેરના દામજી મેપા પ્લોટ શેરી નં. ૬ માં રહેતા નેહાબેન પ્રતિકભાઇ સોલંકી (ઉ.વ.૩૦) એ પોતાના ઘરે પહેલા માળે રૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જોઇ જતા મહિલાને તાકીદે બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક નેહાબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ કાપડ મીલના સ્પેર પાર્ટ બનાવે છે. દોઢ વર્ષ પહેલા પુત્રના જન્મ બાદ નેહાબેનને માનસીક તકલીફ થઇ હતી તેની સારવાર ચાલુ હતી પરંતુ સારૃં ન થતા કંટાળી જઇ તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. આ અંગે ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ સુભાષભાઇ ડાંગર તથા પ્રવિણભાઇ ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)