Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મહિલા સશકિતકરણ દિનની ઉજવણી કરતી તાલુકા પોલીસ મથકની દુર્ગાશકિતની ટીમ

અસામાજીક તત્વો દ્વારા મહિલા પર થતા અત્યાચાર બાબતે પોલીસને જાણ કરવી

રાજકોટ : મહિલા સશકિતકરણ દિનની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ.ગેડમ, ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુર્ગાશકિત ટીમ દ્વારા મહિલા સશકિતકરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહિલાઓની સ્થળ પર મુલાકાત લીધી હતી. તેમજ પીઆઇ જે.વી.ધોળા તથા દુર્ગાશકિત ટીમ દ્વારા મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમજ વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં સ્થળ પર મહિલા સાથે બેઠક કરી અસામાજીક તત્વો દ્વારા થતા અત્યાચારો બાબતે તુરંત જ મહિલા હેલ્પલાઇનમાં સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

(4:04 pm IST)