Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મોટા ભાઇના કલીનિકના ઉદ્દઘાટનમાં હાજરી આપ્યા બાદ વિશાલનો ટ્રેન હઠળ આપઘાત

એસટી વર્કશોપ પાછળ આવેલા ખોડિયારનગરમાં રહેતાં કપડાના વેપારી ૨૩ વર્ષના મરાઠા યુવાને પી.ડી. માલવીયા કોલેજ સામે અકળ કારણે જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી

ઘટના સ્થળ, મૃતકના સ્વજનો તથા એકઠા થયેલા બીજા લોકો તેમજ પોલીસ સ્ટાફ અને આપઘાત કરનાર યુવાનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ પર એસટી વર્કશો પાછળ ખોડિયારનગરમાં રહેતાં અને રેડિમેઇડ કપડાનો વેપાર કરતાં યુવાને આજે પોતાના ભાઇના કિલનીકના ઉદ્દઘાટનમાં હાજરી આપ્યા બાદ પી. ડી. માલવીયા કોલેજ સામે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ બપોરે એક યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી દેતાં ઘટના સ્થળે જ મોત નિપજતાં માલવીયાનગર પોલીસ પહોંચી હતી. તપાસ કરવામાં આવતાં મૃત્યુ પામનાર યુવાન ખોડિયારનગરમાં રહેતો વિશાલ શિવાભાઇ કાકૂલદે (પાટીલ મરાઠા) (ઉ.વ.૨૩) હોવાનું  ખુલ્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ વિશાલ કપડાની દૂકાન ચલાવતો હતો. આજે જ તેના ભાઇ બીએચએમએસ ડોકટરએ પોતાના કિલનીકનું ઉદ્દઘાટન કર્ય હોઇ તેમાં પણ વિશાલે હાજરી આપી હતી. એ પછી તે ત્યાંથી નીકળી ગયો હતો અને પી. ડી. માલવીયા કોલેજ સામે ગોળાઇમાં ટ્રેન હેઠળ ઝંપલાવી દીધુ હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:10 pm IST)