Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કાલે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સંતવાણી કાર્યક્રમ

ભજનીક ઓશો સન્યાસી બકુલભાઇ ટીલાવત (સ્વામી આનંદ તીર્થ) દ્વારા સરકારી ગાઇડ લાઇન મુજબ આયોજન

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમારજાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદર્શનો- ઓશો સન્યાસ ઉત્સવો- ભજન- કિર્તન વિવિધ સંપ્રદાયના ઉત્સવો, મૃત્યુ ઉત્સવ વિશ્વ દિવસ વગેેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૬ વર્ષોથી અવારનવાર ઉત્સવો તથા શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આવતીકાલે તા.૫ને ગુરૂવારના રોજ રાત્રે ૯ થી ૧૦ : ૩૦ દરમિયાન સંતવાણીના કાર્યક્રમનું આયોજન બકુલભાઇ ટીલાવત દ્વારા સરકારી ગાઇડ લાઇન મુજબ કરવામાં આવેલ છે. જેમાં તેમની સાથે ભજનીકો ગૌતમભાઇ મકવાણા, ગંગદાસભાઇ ભંડેરી, દેવજીભાઇ ચુડાસમા, રાજેશભાઇ કુબાવત, તબલા ઉત્સાદ હરીભાઇ, ઓશો સન્યાસ જીત સ્વરૂપ તથા દાનબાપુ આહિર, શ્રોતાઓ સમક્ષ સંતો મહંતોની વાણી પીરસશે.

સ્થળ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં ૪ વૈદ્યવાડી, ડીમાર્ટની પાછળની શેરી રાજકોટ

વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, બકુલભાઇ ટીલાવત ૯૮૨૪૦ ૨૬૯૩૩, સંજીવભાઇ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:37 am IST)