Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજકોટ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા વિજયભાઇના જન્મ દિવસ નિમિતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

રાજકોટ : ગુજરાત રાજયના પ્રજાવત્સલ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ૬૪માં જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતા રાજકોટ જિલ્લાના ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન બોળીયા, સભ્ય અરૂણભાઇ નિર્મળ, ભીમજીભાઇ પરસાણા, ડો. રશ્મિકાંતભાઇ ઉપાધ્યાય, મનીષભાઇ ખંભાળીયા જણાવ્યું હતું કે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત અને ગુજરાતીઓનો ચોતરફ વિકાસ થયો છે. ગુજરાતમાં આવી પડેલી કુદરતી સમસ્યાઓમાં ગુજરાતીઓનો વિજય થયો છે. ગુજરાત આજે વિકાસશીલ ગુજરાત તરીકે દેશમાં ઓળખાઇ રહ્યું છે. તેમના મનમાં એક જ વિચાર હોઇ છે. પ્રજાહીત આવા આપણા સૌના ઉમદા નેતાને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. આ નિમિતે કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે સોસીયલ ડિસ્ટેનસિંગનું પાલન કરીને આયુર્વેદિક ઉકાળો બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

(3:58 pm IST)