Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

શાળાઓમાં શિક્ષણ બંધ છતાં 'ફી'ની કડક ઉઘરાણીથી વાલીઓ મુશ્કેલીમાં: વાલી મહામંડળ

રાજકોટ તા. ૪: લોકડાઉન અને કોરોનાં સંક્રમણને કારણે શાળાઓ બંધ છે છતાં શાળા સંચાલકો વાલીઓ પાસે 'ફી'ની કડક ઉઘરાણી કરી રહ્યા છે તે બાબત ગેરવ્યાજબી હોઇ વિદ્યાર્થી હીતમાં અને વાલીઓની આર્થિક મુશ્કેલીઓને સંવેદનશીલતાથી સમજી શાળા સંચાલકો 'ફી' વસુલી શકે તેવો પરિપત્ર રદ કરવા અંગે આજે જીલ્લા વાલી મહામંડળે કલેકટર રેમ્યા મોહનને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. તે વખતની તસ્વીર આ તકે વાલી મહામંડળનાં હોદેદારોને સોશ્યલ ડીસ્ટન્સ બાબતે કલેકટરશ્રીએ ટપાર્યા હતા અને દુર રહી રજુઆત કરવા જણાવેલ રજુઆતમાં મોહનભાઇ સોજીત્રા, રાજેશ કયાડા વગેરે જોડાયા હતાં.

(3:47 pm IST)