Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

નિલેષ વિરાણી કહે છે નોટીસ શેના માટે ? અમે શિસ્ત ભંગ કર્યો નથી !

સભ્યોને સ્વતંત્ર રીતે મત આપવાનો અધિકાર છે

રાજકોટ, તા. ૪ : જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નિલેષ વિરાણીએ બળવાખોરોએ શિસ્તભંગ કર્યાનું નકાર્યું છે.

શો-કોઝ નોટીસ બાબતે નિલેષ વિરાણીએ જણાવેલ કે મને આજે બપોર સુધીમાં કોઇ નોટી મળી નથી. પાર્ટી તરફથી કોઇ વ્હીપ અપાયેલ નહિ. સામાન્ય સભામાં અધિકારી પાસે બોલાવવામાં આવે તે વ્હીપ ન ગણાય. જે નામે સમિતિઓ માટે મૂકવામાં આવેલા તે અમને માન્ય હતાં નહિ તેથી અમે નવા નામ મૂકયા. દરેક સભ્યને સ્વતંત્ર રીતે મત દેવાનો અધિકાર છે અમે કોંગ્રેસ છોડીને ગયા નથી કે કોંગ્રેસ વિરોધી કોઇ પ્રવૃતિ કરી નથી તો અમને શોકોઝ નોટીસ શેના માટે ? અમે ભાજપના કોઇ કાર્યક્રમમાં ગયા નથી છતાં કોંગ્રેસ તરફથી નોટીસ મળે તો વાંચ્યા પછી આગળનો નિર્ણય કરશું. (૮.૧૯)

 

(4:05 pm IST)