Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મનસુખ કાલરિયાએ હાઉસીંગ સમિતિમાંથી રાજીનામુ આપતાં ઉવર્શીબા જાડેજાને સભ્યપદ?

રાજકોટ  : આગામી તા. ૧૩ નાં રોજ મળનાર જનરલ બોર્ડનાં એજન્ડામાં હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ સમિતિનાં સભ્યની નિમણુક અંગેની દરખાસ્ત છે. કેમ  કે હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાંથી કોંગ્રેસનાં ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ રાજીનામુ આપતાં તેનાં સ્થાને કોંગ્રેસનાં મહીલા કોર્પોરેટર ઉવર્શીબા જાડેજાની નિમણુંક માટે કોંગ્રેસનાં વર્તુળોમાં ચર્ચા છે જો કે જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા જે નામની દરખાસ્ત રજૂ થશે તેના પર મતદાન થયા બાદ જ જે તે સભ્યની નિમણુંક થશે આ ઉપરાંત જનરલ બોર્ડમાં મવડી ટી. પી. સ્કીમ નં. ર૧ નો પરામર્શ કરવા  ત્થા નાના મવા ટી. પી. સ્કીમ નં. ૩ માં વૈકલ્પીક જગ્યા ફાળવવા, વેરા વળતર યોજનાની મુદત લંબાવવા સહિતની ૧૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. (પ-ર૬)

(4:05 pm IST)