Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

૨૬ મી એ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા સરસ્વતિ સત્કાર સમારંભ : સાંસ્કૃતિક કાર્યક્રમ

એલકેજીથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ ને તા. ૧૫ સુધીમાં માર્કશીટ પહોંચાડવા અનુરોધ

રાજકોટ તા ૪ : શ્રી ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા સરસ્વતિ સત્કાર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલ છે.

આ અંગે અકિલા કાર્યાલય ખાતે માહિતી આપતા સંસ્થાના મંત્રી જગદીશભાઇ રાણપરા અને કન્વીનર મેહુલભાઇ પારેખ સહિતનાએ જણાવ્યું હતુ કે શ્રી ઝાલાવાડી સોની સમાજના તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાહીત કરવા તેમજ શૈક્ષણીક ક્ષુત્રે જાગૃતી લાવવા સંસ્થા દ્વારા તા. ૨૬/૮/૧૮ ને રવિવાર ના રોજ સોની સમાજની વાડી ઝવેરી હોલ ખાતે સરસ્વતિ સત્કાર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. પોગમમાં ભાગ લેવા ઇચ્છતા દરેક વિદ્યાર્થીઓ એ LKG/HKG,  તથા ધો. ૧ થી ૧૨ (ગુજરાતી/લંગ્લીશ મીડીયમ) તેમજ કોલેજ ક્ષેત્રના તમામ વિદ્યાર્થીએ પોતાની છેલ્લી માર્કસીટ ઝેરોક્ષ કોપી તથા એક ફોટો તા. ૧૫ સુધીમાં સોની સમાજના કાર્યાલયે જમા કરાવવાની રહેશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખશ્રી દિલીપભાઇ રાણપરા, મંત્રીશ્રી જગદીશભાઇ રાણપરા તેમજ કન્વીનર શ્રી મેહુલભાઇ પારેખ માર્ગદર્શન હેઠળ આયોજન સમીતી બીપીનભાઇ આડેશરા, મુકુંદભાઇ આડેશરા, રસીકભાઇ રાણપરા, અભયભાઇ ફીચડીયા, સાગરભાઇ આડેશરા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.(૩.૧૩)

(4:04 pm IST)