Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાજકોટના ખાણ-ખનીજ કચેરીના સ્ટોરકીપર રાયધણ કોળીની કચ્છના રાપરમાં હત્યા

હત્યા પાછળ ખનીજ માફીયાઓનો હાથ હોવાની શંકા

ભૂજ, તા. ૩ :. કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામે રાજકોટ ખાણ-ખનીજ કચેરીના સ્ટોરકીપરની હત્યા થતા સનસનાટી મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટની ખાણખનીજ કચેરીમાં સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતા અને મૂળ રાપર તાલુકાના સીરાની વાંઢ ગામના વતની રાયધણ રણમલ પરમાર (કોળી) (ઉ.વ.૪૫) ઈજાગ્રસ્ત હાલતમાં ગાગોદર ગામે મળી આવતા તેમને તાત્કાલીક સારવાર માટે ગાંધીધામની હોસ્પીટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમનુ રસ્તામાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક રાયધણ રણમલ પરમારના શરીર ઉપર ઈજાના અસંખ્ય નિશાન હોવાથી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની હત્યા પાછળ ખનીજ માફીયાઓનો હાથ હોવાની શકયતા ચર્ચાય રહી છે. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:07 pm IST)