Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જિલ્લા પંચાયતનાં લોકદરબારમાં પ્રશ્નો વરસવાની રાહ જોઇ બેઠેલા પદાધિકારીઓ સમક્ષ ૬ પ્રશ્નો ટપકયાW

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં આજે સતત ચોથા સોમવારે પદાધિકારીઓનો લોકદબાર યોજાયો હતો. અગાઉની જેમ આજે પણ નબળો પ્રતિસાદ રહેલ.  આજે ડેમની મરામત, રસ્‍તા આરોગ્‍ય પુલ વગેરેને લગતા પ્રશ્નો ૬ અરજદારોએ  રજુ કરેલ. ગયા ગુરૂવારે જસદણ-વિંછીયા  તાલુકામાં લોકદરબારમાં ૧૦૦ પ્રશ્નો આવ્‍યા હતા. આજે માત્ર ૬ પ્રશ્નો આવતા લોકોને કોઇ પ્રશ્નો નથી તેવો સંતોષ ભાજપના શાસકો લઇ રહયા છે. લોકદરબારમાં પંચાયત પ્રમુખ ભુપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા,  બાંધકામ અધ્‍યક્ષ પી.જી.કયાડા ઉપરાંત  અગ્રણીઓ વિરલ પનારા, ધર્મેન્‍દ્ર ટીલારા, પરેશ રાદડીયા, ભીખાભાઇ બાબરીયા, રાજેશ ડાંગર, મુકેશ તોડીયા, સીમાબેન લુણાગરીયા વગેરે હાજર રહયા હતા.

(3:58 pm IST)