Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

માત્ર ઘી રાજકોટ દાણાપીઠ વેપારી એસો,સાથે જોડાયેલ વેપારીઓ સવારે 8થી સાંજે 5 સુધી દુકાનો ખુલી રાખશે : બીજા વેપારી સંગઠનો આ નિર્ણંયમાં જોડાયા નથી

રાજકોટ : ધી રાજકોટ દાણાપીઠ વેપારી એસોસીએશનએ સ્પષ્ટતા કરી છે કે  ફક્ત આ એસોસીએશન સાથે જોડાયેલ દાણાપીઠ ,પરાબઝાર, ગુમાન્શિજી શોપિંગ સેન્ટર, મોચી બાઝારના અનાજ, કરિયાણ, ખાંડ, તેલ ના રોટેલ તથા હોલસેલ વેપારીઓ જ હાલ સર્વાનુમતે, કોરોના સંક્રમણ અનુસંધાને, લોકોના હિતમાં સોમવારે ૬/૭/ર૦૨૦ થી ૨૦/૭/૨૦૨૦ સુધી સવારે ૮ થી સાંજના પ વાગ્યા સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખશે. બીજા વેપારી સંગઠનો હાલ આ નિર્ણયમાં જોડાયા નથી

(9:30 pm IST)