Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

છ પીઆઇ અને ૪૫ પીએસઆઇની બદલી

રાજકોટમાં છ નવા પીએસઆઇને મુકવામાં આવ્યા

રાજકોટ તા. ૪: રાજ્યના વધુ છ પોલીસ ઇન્સ્પેકટર અને ૪૫ પીએસઆઇની બદલીના હુકમો થયા છે. જેમાં પાટણના જયમીન. કે. ડોડીયાને ઇન્ટેલીજન્સમાં, એકતા જે. પંડ્યાને બોટાદ, ભરૂચના મનિષા કે. પટેલને અમદાવાદ શહેર, પાટના યતિલસિંહ કે. ઝાલાને મહેસાણા, વડોદરાના શારદા બી. ડડુણને નર્મદા અને અમદાવાદ શહેરના શલેષ ડી. ચોૈધરીને બનાસકાંઠા મુકાયા છે.

આ ઉપરાંત ૪૫ પીએસઆઇની બદલીના આદેશો પણ થયા છે. જેમાં વડોદરાના રીવા હાજાભાઇ સુવાને ગીર સોમનાથમાં, અમદાવાદના પ્રકાશ ચાવડાને અમરેલી, બોટાદના શકિતસિંહ ઝાલાને ભાવનગર, ભરૂચના દિપ્તી પીઠડીયાને રાજકોટ ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદના આકાશ સિંધવ, જલવાણી કોૈશર તેમજ વડોદરાના મોરવાડીયા વૃજલાલ, ગાંધીનગરના અજય વોરા અને અમદાવાદના આકાશ સિંધવને  રાજકોટ મુકવામાં આવ્યા છે. પોરબંદરના જયપાલ રાઠોડ અને જુનાગઢના હિતેષ વાઢેરની બદલી બનાસકાંઠા ખાતે થઇ છે.  આમ રાજકોટમાં છ નવા પીએસઆઇ આવ્યા છે.

(12:55 pm IST)