Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પાટીદાર ચોકમાંથી બેભાન મળ્યા બાદ મૃત્યુ પામનાર આધેડની ઓળખ થઇ

ક્રિષ્ના પાર્કના રજનીશભાઇ પટેલ હોવાનું ખુલ્યું

રાજકોટ તા. ૪: સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકમાંથી પરમ દિવસે અજાણયા પુરૂષ બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ગઇકાલે સવારે તેમણે દમ તોડી દીધો હતો. યુનિવર્સિટી પોલીસે એ. ડી. નોંધી કાર્યવાહી કરી હતી. આ આધેડ પુષ્કરધામથી આગળ આવેલા ક્રિષ્ના પાર્કમાં બી-૭૨માં રહેતાં અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રજનીશભાઇ દિલીપભાઇ પીપળીયા (પટેલ) (ઉ.૪૫) હોવાનું ખુલ્યું હતું.

મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. બિમાર પણ રહેતાં હતાં. પરમ દિવસે સાંજે આટો મારવા નીકળ્યા બાદ પાટીદાર ચોકમાં એક કેબીન પાસે પહોંચી થોડી વાર ઉભા રહ્યા બાદ બેભાન થઇ પડી ગયા હતાં. 'અકિલા'માં મૃતકની તસ્વીર સાથે પ્રસિધ્ધ થયેલા અહેવાલને આધારે મૃતકની ઓળખ શકય બની હતી. એએસઆઇ એસ. અને. ગામેતી વધુ તપાસ કરે છે.

(11:27 am IST)