Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

લુહાર સમાજના લાભાર્થીઓને મા અમૃતમ કાર્ડ વિતરણ

રાજકોટઃ શહેર ભાજપ ઉપપ્રમુખ અને લુહાર જ્ઞાતિના મહીલા મંડળના પ્રમુખ કંચનબેન સિધ્ધપુરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગરપાલિકા તથા સમસ્ત લુહાર સમાજના સંયુકત ઉપક્રમે લાભાર્થીઓને મુખ્યમંત્રી અમૃતમ (મા) અને વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર સહિતના ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં કંચનબેન સિધ્ધપુરા, રાજુભાઈ સિધ્ધપુરા, પ્રકાશભાઈ પીઠવા, ભુપતભાઈ ડોડીયા, દીનકરભાઈ પરમાર, મનોજભાઈ મકવાણા, પ્રકાશભાઈ ડોડીયા, સિધ્ધપુરા પરિવાર, મકવાણા પરિવાર, પીઠવા પરિવાર તથા સમસ્ત લુહાર સમાજના અગ્રણીઓ જોડાયા હતા.(૩૦.૮)

(3:51 pm IST)