Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ગુરૂપૂર્ણિમાએ રાજસ્થાનમાં પૂ.રાજર્ષિ મુનિજીના સાનિધ્યમાં ગુરૂવંદના મહોત્સવ ઉજવાશે

જોધપુર જવા માટે લાઈફ મિશન - રાજકોટ દ્વારા વાહન વ્યવસ્થા

રાજકોટ, તા. ૪ : સ્વામી શ્રી રાજર્ષિ મુનિજીની ગુરૂવંદનાનો ભવ્ય મહોત્સવ તા.૨૬-૭ તથા ૨૭-૭ જોધપુર (રાજસ્થાન) મુકામે બે દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૨૬-૭ના રોજ રાત્રીના ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા તા.૨૭ના સવારે ૮ કલાકથી ગુરૂવંદનાનો કાર્યક્રમ તબક્કાવાર યોજવામાં આવશે. જેમાં પૂ.શ્રીના આર્શીવચન, દર્શન, મહાપ્રસાદ જેવા તબક્કાવારના આયોજન કરેલ છે. ઈચ્છુક ધર્મપ્રેમીઓને મંત્રદીક્ષા પણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.ઉપરોકત ગુરૂપૂર્ણિમાના મહોત્સવમાં રાજકોટ ખાતેથી જવા માગતા ધર્મપ્રેમી ભાઈ-બહેનોને લાવવા લઈ જવા માટેની વાહન વ્યવસ્થા લાઈફ મિશન પ્રાદેશિક કચેરી (બિલ્ખા પ્લાઝા ફલેટ) ખાતેથી કરવામાં આવેલ છે. તા.૨૫ના બપોરે ૧૨ કલાકે બિલ્ખા પ્લાઝા ફલેટ ખાતેથી વાહન ઉપડશે તથા ૨૭ મીના વ્હેલી સવારે રાજકોટ ખાતે પરત આવશે. જોધપુર આવવા માગતા દરેક ભાવિકોએ પોતાના નામ વ્હેલામાં વહેલી તકે ''લાઈફ મિશન ઓફીસ'' બિલ્ખા પ્લાઝા ખાતે મો.૭૮૭૪૦ ૨૫૭૫૧ તથા ૯૩૨૮૯ ૩૩૯૬૮ ઉપર નોંધાવી દેવા જરૂરી છે. વાહન વ્યવસ્થા - ઉતારા વ્યવસ્થા તથા ભોજન વ્યવસ્થા કરવામાં આવશે.(૩૭.૮)

(3:51 pm IST)