Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સંતકબીર રોડ પરથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ વાલીની શોધખોળ

રાજકોટ તા.૪: સંતકબીર રોડ પર ધરારનગરમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા થોરાળા પોલીસે તપાસ આદરી છે.

મળતી વિગતો મુજબ સંતકબીર રોડ પર આવેલ ધરારનગરમાં આશરે ૩૫ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની જાણ કરતા ૧૦૮ના તબીબે જોઇ તપાસી તેનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.ડી. જાદવ સહિતે સ્થળ પર પહોંચી યુવાનની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. મૃતક યુવાને રાખોડી કલરનું પેન્ટ અને સફેદ અડધી બાઇનો શર્ટ પહેરેલ છે. આ યુવાનનું મોત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવાનના જો કોઇ વાલીવારસ હોઇ તો થોરાળા પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧-૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવો.

(12:42 pm IST)