Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણા ૧૮ કિલોવાળી કીટનું વિતરણ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વડોદરા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 'દીનજનને વિશે દયાવાન થવું' એવા શ્રી સ્વામિનારાયણ ભગાવાને શિક્ષાપત્રમાં કહેલા આદેશ અનુસરે શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વડોદરા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, ખાંડ, તેલ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ, વગેરે ૧૮ કિલો જેટલું અનાજ-કરીયાણું ધરાવતી આ કિટ જરૂરીયાતમંદ લોકોને કોરોના વાયરસની મહામારીને લીધે લોકડાઉનના સમયમાં પોતાના જીવનનું નિર્વહન કરવામાં ઉપયોગી થશે તેમ અલૌકિકદાસજી સ્વામી જણાવે છે.

(2:56 pm IST)