Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

અમને અમારા વતન મોકલો... પરપ્રાંતીયો રસ્તા ઉપરઃ તંત્રએ સમજાવી પરત મોકલ્યા

રાજકોટઃ શહેરમાં ગઇસાંજે મવડી નજીક મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરો ઉમટી પડયા હતા. વતન પરત મોકલવાની માંગણી કરી રહ્યા હતા. આ બાબતની પોલીસને  જાણ થતા તુરંત પહોંચી ગઇ હતી અને પરપ્રાંતીઓને સમજાવી પરત મોકલ્યા હતા. દરમિયાન કલેકટર શ્રી રેમ્યા મોહનજીએ પરપ્રાંતીય મજુરોને વતનમાં જવા માટે રાજકોટથી ટ્રેન ખાસ વ્યવસ્થા કરવામાં આવશે અને એ  માટે સુચારૂ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. તસ્વીરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ઉમટી પડેલા પરપ્રાંતીઓ જોઇ શકાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:50 am IST)