Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

૧૫મીએ મુકેશ-લતાજી-આશાજીના અનમોલ ગીતો વરસશેઃ સુરસંસારનો કાર્યક્રમ

ગાયકો મુખ્‍તાર શાહ - સોનલજી સાથે જનક દરજી બાંસુરીથી સંગાથ પીરસશે

 રાજકોટઃ તા.૪, શહેરની સૌથી જુના ફિલ્‍મી ગીતોની કલબ ‘ સુર સંસાર' જે ૨૩  વર્ષ પુરા કરી ૨૪માં વર્ષમાં પ્રવેશે છે, તેનો નવા વર્ષનો પ્રથમ કાર્યક્રમ શ્રી હેમુ ગઢવી નાટય ગૃહ (સરગમ કલબ સંચાલીત) ખાતે તા.૧૫મે ના મંગળવારના યોજાયો છે.

 આ કાર્યક્રમમાં મુકેશના ગાયક તરીકે ભારતભર અને પરદેશમાં મશહુર ગાયક શ્રી મુખ્‍તાર શાહ મુકેશના ગીતો  રજુ કરશે. તેમને સંગાથ આપશે રાજકોટના પોતાના મશહુર કોકીલઠંડી ગાયિકા શ્રીમતિ સોનલ ગઢવી

 મુખ્‍તારજી સ્‍વ. મુકેશજીના અનમોલ ગીતો રજુ કરશે. જયારે સોનલજી લતાજી- આશાજી ઉપરાંત હેમતદા રહી સાહેબ અને તલતજીએ ગાયેલ ગીતો રજુ કરશે.

 આ કાર્યક્રમમાં વિશિષ્‍ટ આકર્ષણ બની રહેશે. વાદ્યવૃંદને શ્રી જનક દરજીના બાસુરી વાદનથી રજુઆત

 વાદ્યવૃંદ સંગાથ વડોદરાના શ્રીતાહીરલી સૈયદ અને શ્રી ઇમરાનઅલી સૈયદનો

 ઉદઘોષક તરીકે જાણીતા ગાયિકા અનોખા એંકર શ્રીમતી નિશા નાણાવટી ઉપસ્‍થિત  થશે.

 સહભાગીઓ મોકલાયેલ કાર્ડમાં દિવસ સોમવાર છાપભુલથી છપાયો છે તે સુધારી મંગળવાર વાંચવા શ્રી મોદીકાકાની યાદીમાં જણાવાયું છે.

(4:25 pm IST)