Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

કાલે ગોસ્‍વામી સમાજના ૪૮૦ વિદ્યાર્થીઓ અને વિશિષ્‍ટ વ્‍યકિતઓનું સન્‍માન : ૧૩મીએ પસંદગી મેળો

વિદ્યાર્થીઓને શિલ્‍ડ, સન્‍માનપત્ર, ભેટ અપાશે : જુનમાં નોટબૂક વિતરણ

રાજકોટ, તા. ૪ : શ્રી દશનામ ગોસ્‍વામી જાગૃતિ મંડળ-રાજકોટ દ્વારા શહેરના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સત્‍કારવાનો કાર્યક્રમ તા. પ ને શનિવારે બપોરે ૧ કલાકે શ્રી હેમુ ગઢવી હોલ-રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ધો. ૧થી કોલેજ કક્ષા સુધીના ૮૦%થી વધારે માકર્સ મેળવતા તમામ ૪૮૦ વિદ્યાર્થીઓને સન્‍માનિત , શિલ્‍ડ, પ્રમાણપત્ર, ઇનામો વગેરે દાતાઓના સહકારથી આપવામાં આવશે. આ ઉપરાંત દશનામ સમાજના વિશિષ્‍ઠ વ્‍યકિતઓ કુ. નિલમબેન ભરતગિરિ (ડીવાયએસપી), શ્રી મહેશભારથી શિવાભારથી (પીએસઆઇ), શ્રી શુભાષગિરિ વજેગિરિ (પીએસઆઇ) શ્રી મહેશગિરિ મોહનગિરિ (પીએસઆઇ) શ્રી વિજયગિરિ અમૃતગિરિ, શ્રી પ્રવિણપુરી યશવંતપુરી, શ્રી મુકેશગિરિ, કુ. ઋષિતાબેન હરેશગિરિ, શ્રી અનિતાબેન ગૌતમગિરિ, શ્રી રમેશગિરિ જગદિશગિરિ વિગેરેનું સન્‍માન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં દિપપ્રાગટ શ્રી પ્રેમગિરિ દેવગિરિ (અધ્‍યક્ષ દશરથ ચેરી. ટ્રસ્‍ટ), શ્રી અમૃતગિરિ સિદીગિરિ, શ્રી પ્રવિણપુરી યશવંતપુરી, શ્રી ભરતભારથી વશરામભારથી, શ્રી ત્રિભુવનગિરિ મોહનગિરિ (જ્ઞાતિ સેવક), ડો. પ્રિયકાન્‍તપુરી એમ. ગોસ્‍વામી (શિક્ષણવિદ્દ) કરનાર છે. કાર્યક્રમના પ્રમુખ તરીકે શ્રી રાજેશગિરિ પ્રેમગિરિ, અધ્‍યક્ષ તરીકે શ્રી મહેન્‍દ્રગિરિ દોલતગિરિ -ભાવનગર, મુખ્‍ય મહેમાન તરીકે શ્રી હિતેશગિરિ ભગવાનગિરિ-ઉદ્યોગપતિ, એડવોકેટશ્રી અશ્વિનગિરિ બચુગિરિ, શ્રી પી.સી. ગોસ્‍વામી-કેળવણીકાર, શ્રી રાકેશપુરી વિજયાનંદપુરી યુવા એડવોકેટ, શ્રી મહેન્‍દ્રગિરિ કરસનગિરિ, શ્રી સોમગિરિ પ્રભાગિરિ-ટ્રસ્‍ટીશ્રી ઘેલાસોમનાથ, શ્રી વિજયભારથી ભીખુભારથી, શ્રી યોગેશગિરિ કેશવગિરિ વગેરે ઉપસ્‍થિત રહેશે.

શ્રી દશનામ ગોસ્‍વામી મેરેજ બ્‍યુરો દ્વારા રા.મ્‍યુ.કોર્પો. હોલ (ભારત વિકાસ પરિષદ સંચાલિત) ખાતે તા.૧૩ના રોજ સવારે ૯ કલાકે જ્ઞાતિના લગ્નોત્‍સુક યુવક-યુવતિઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી રપ૦ જેટલા ઉમેદવારો ઉપસ્‍થિત રહેનાર છે. આ પ્રસંગે માહિતી પુસ્‍તીકાનું વિમોચન દાતાશ્રી પ્રવિણપુર યશવંતપુરી તથા શ્રી પ્રેમગિરિ દેવગિરિ દ્વારા કરવામાં આવશે. પસંદગી મેળાને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે કન્‍વીનર સતિષગિરિ મોહનગિરિ તથા ભૂપતપુરી મહાદેવપુરી તેમજ  મંડળના હોદેદારો સર્વશ્રી પ્રવિણભારથી ધરમભારથી-પ્રમુખ, શ્રી જયોતિષગિરિ-ખજાનચી, શ્રી બિપીનગિરિ હરીગિરિ, શ્રી ભુપતપરી મહાદેવપરી, શ્રી કિશોરપુરી ઝવેરપુરી-સહમંત્રી, શ્રી પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, શ્રી કમલપુરી લાભુપુરી, શ્રી જયોતિષગિરિ ફુલગિરિ, શ્રી શાંતિગિરિ સામંતગિરિ, શ્રી પ્રમોદપુરી મોહનપુરી, શ્રી અશ્વિનગિરિ હિરાગિરિ, શ્રી પ્રવિણપુરી ઝવેરપુરી, શ્રી વિનોદભારથી સવજીવનભારથી અને દશનામ ગોસ્‍વામી યુવક મંડળના હોદેદારો સર્વ ગૌતમગિરિચમનગિરિ, વરૂણપુરી રણછોડપુરી, હરેશગિરિ પ્રભાતગિરિ, વિજયગિરિ અમૃતગિરિ, વિરલપુર ધરમપુરી, ધર્મેન્‍દ્રગિરિ ચતુરગિરિ , ચેતનપુરી કમલપુરી, અમુલગિરિ અરવિંદગિરિ, હરેશગિરિ નટવરગિરિ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

 આગામી ૧૦ જુનના એક હજાર છાત્રોને ફૂલસ્‍કેપ નોટબુકો રાહતદરે વિતરણ કરવામાં આવશે.  પ્રવિણભારથી ધરમભારથી-પ્રમુખ-શ્રી જાગૃતિ મંડળ , વિનોદભારથી સવજીવન ભારથી, વિપુલગિરિ પરસોતમગિરિ, રાજેશગિરિ ઇશ્વરગિરિ, પ્રવિણપુરી ઝવેરપુરી, જયોતિષગિરિ રામગિરિ, દિપકગિરિ બાબુગિરિ, અવિશ્વનગિરિ હીરાગરિ, પંકજગિરિ અશોકગિીર, મહેશગિરિ શંભુગિરિ, ગજેન્‍દ્રપુરી વિનયપુરી, સતિષગિરિ મોહનગિરિ , એસ.એસ. ગોસાઇ  વિ. જહેમત ઉઠાવી રહેલ છે.

 

(4:16 pm IST)