Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વસંતવિહાર એપાર્ટમેન્ટના રહીશોએ માનવતાની મહેક પ્રસરાવીઃગાંઠીયા લાડુ બનાવ્યા-અનાજકીટ વિતરણ

રાજકોટ : શહેરના પાટીદાર ચોક સ્થિત વસંતવિહાર એપાર્ટમેન્ટના રહિશોએ કોરોનાની મહામારીમાં ગરીબોને બંને ટંક જમવાનું મળી રહે તે હેતુસર રહિશોએ સ્વૈરિછક અંદાજે અઢી લાખ રૂપિયોનો માતબાર ફાળો કરી સોસાયટીમાં જ ચંપાકલી ગાંઠીયા (૩૦૦ કિલો) મોતીચૂર લાડું (૩૦૦ કિલો) ઉપરાંત ૨૦૦ કિલો ઘઉંનો લોટ, તેલ, કરીયાણું ઉપરાંત  શાકભાજીનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી છે આ કાર્યમાં સોસાયટીના પ્રમુખ કૌશિકભાઇ ગોવાણી તેમજ સોસાયટી અગ્રણી આર.સી. પટેલ અતુલભાઇ જીવાણી, રમેશ પાડલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:07 pm IST)