Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સોરઠીયા રાજપૂત સમાજ દ્વારા લોકડાઉન વચ્ચે લોકસેવા

રાજકોટ : પૂ. દેશળભગત, પૂ. સંપૂર્ણાનંદજી બાપુ તથા સંત પૂ. દેવુભગતના આશીર્વાદ અને પ્રેરણાથી પ્રવર્તમાન સમયે કોરોનાની મહામારીમાં સમાજના જરૂરીયાતમંદોની જરૂરત પૂર્ણ કરવા સોરઠીયા રાજપૂત સમાજ રાજકોટ દ્વારા ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. દાતાઓના સહકારથી ફુડ પેકેટ તૈયાર કરી જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિતરણ વ્યવસ્થા માટે પ્રમુખ વિજયભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મુકુંદભાઇ રાઠોડ, હસુભાઇ મકવાણા, નિલદીપ ચૌહાણ, હકાભાઇ ચૌહાણ, લાલજીભાઇ ગોહેલ, દિવ્યેશ પરમાર વગેરે સેવા આપી રહ્યા છે.

(4:06 pm IST)