Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

૯પ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીને અમદાવાદ પરત મોકલવા તાકિદે વ્યવસ્થા કરાઇ

રાજકોટ : અમદાવાદના ૯પ વર્ષના વિખ્યાત સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પોપટભાઇ પંચાલ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા, પરંતુ લોકડાઉનને કારણે રાજકોટ ફસાઇ ગયા હતા.

આ બાબતની કલેકટરને જાણ થતા જ તુર્ત જ ડીઝાસ્ટરના શ્રી પ્રિયંકસિંઘને દોડાવ્યા હતા. અને તુર્ત જ પાસની વ્યવસ્થા કરી તેમને હેમખેમ અમદાવાદ પરત મોકલવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇની આંખમાંથી વ્યવસ્થા સંદર્ભે હર્ષના આંસુુ સરી પડયા હતા અને કલેકટર તંત્રનોે આભાર વ્યકત કર્યો હતો.

(11:53 am IST)