Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

નરેન્દ્રભાઇ વિજેતા થાય તે માટે અન્નનો ત્યાગ કરનાર સામાજીક કાર્યકર હવે વડાપ્રધાન ન બને તે માટે અન્નનો ત્યાગ કરશે

રાજકોટ, તા., ૪: વડાપ્રધાન પદે શ્રી નરેન્દ્રભાઇ મોદી વિજેતા બને તે માટે રાજકોટના વોર્ડ નં. ૩ના સામાજીક કાર્યકર અને જેતપુરની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલ દીલીપભાઇ એમ.ચાવલાએ હવે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી વિજેતા ન બને તે માટે શનિવારથી અન્નનો ત્યાગ કરશે.વોર્ડ નં. ૩ના સામાજીક કાર્યકર તથા જેતપુરના કોંગ્રેસના પુર્વ સભ્ય, રામેશ્વર સેવા મંડળ જેતપુરના પુર્વ પ્રમુખ, એકતા સોશ્યલ યુવા ગૃપ જેતપુરના પુર્વ મંત્રી તથા સંત ખાનુરામ સેવા મંડળના પુર્વ કારોબારી સભ્ય દીલીપભાઇ એમ.ચાવલાએ જણાવ્યું હતું કે ર૦૧૯માં લોકસભાની ચુંટણીમાં ભાજપ તથા નરેન્દ્રભાઇ મોદીનો પરાજય થાય તે જરૂર છે. દિલીપભાઇ ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે મોદીજી પ્રધાનમંત્ર બને ૯ મહિના અન્નનો ત્યાગ કર્યો હતો. તે મારી ભુલ અને ભારત દેશ માટે કમનસબી બની છે.  ભારત દેશને ડુબતો બચાવવા માટે પરાજય આપવો જરૂર છે. નહ તો ભાજપનો જુલમ અંગ્રેજો કરતા પણ વધી જશે.

તા. ૬ને શનીવારથી ચૈત્રી નવરાત્રી અને ઝુલેલાલ જયંતીના દિવસથી ૯ દીવસો સુધી હું અન્નનો ત્યાગ કરીશ અને માત્ર ચા-પાણી લઇશે તેમ અંતમાં દીલીપ એમ. ચાવલા (મો. નં. ૯પપ૮ ૯૭૦પર૬)એ જણાવ્યું છે.

(3:52 pm IST)