Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મહાશિવરાત્રીએ દશનામ ગોસ્‍વામી સમાજ દ્વારા શ્રી શિવ શોભાયાત્રાઃ કાલે કાર્યાલયનું ઉદ્‌ઘાટન

૧૧ દીકરીઓ અને સંતો મહંતોના હસ્‍તે શિવયાત્રાનું પ્રસ્‍થાનઃ ડો.મનિષગીરી ગોસ્‍વામી અધ્‍યક્ષ

રાજકોટઃ આગામી તા.૧૮ને શનિવારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સમસ્‍ત દશનામ ગોસ્‍વામી સમાજ રાજકોટ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આવતીકાલે તા.૫ને રવિવારે સાંજે ૭ વાગ્‍યે શિવ શોભાયાત્રાનું કાર્યલાય સંતો, મહંતોના વરદ હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવશે.

ધ્‍વજારોહણ, રૂદ્રાભિષેક, રૂટ ઉપર ધ્‍વજા પ્રચાર, પ્રસાદ, બેનર વિગેરે કાર્યક્રમ આગામી સમયમાં યોજાશે. શિવ શોભાયાત્રા તા.૧૮ને શનિવારે બપોરે ૨ વાગ્‍યે ૧૧ દિકરીઓ તથા સંતો મહંતોના હસ્‍તે શિવ શોભાયાત્રાનું પ્રસ્‍થાન કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના ફલોટ, સંત- મહંતો માટે રથ, વિવિધ પ્રકારના ફોર વ્‍હીલર તથા ટુ વ્‍હીલર તથા ડિ.જે.ના સથવારે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિરેથી, મવડી ફાયર બ્રિગેડ, બેકબોન ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મળા રોડ, હનુમાન મઢી રોડ, રૈયા રોડ, રૈયા ચોકડી થઈને રૈયા ગામ દશનામ ગૌસ્‍વામી  સમાજનું સમાધી સ્‍થાને સાંજે ૭:૩૦ વાગ્‍યે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવશે.શિવ શોભાયાત્રા સમિતિ દ્વારા આ વખતેના અધ્‍યક્ષ સ્‍થાને ડો.મનીષગીરી કાંતિગીરી ગોસ્‍વામી વરણી કરવામાં આવે છે.તસ્‍વીરમાં ડો.મનિષગીરી કાંન્‍તીગીરી, બળવંતપુરી ગજરાજપુરી, રમેશભારથી કારાભારથી, લતેશપુરી ગંગાપુરી, મેહુલપુરી વસંતપુરી, ભરતગીરી કેશવગીરી, જીજ્ઞેશગીરી નટવરગીરી, હસમુખગીરી ગોપાલગીરી અને દિનેશગીરી હિરાગીરી નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)