Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સક્ષમ દ્વારા કાલે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધીઓનું અધિવેશન

રાજકોટ,તા.૪: સમદ્રષ્ટિ- ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડળ (સક્ષમ) રાજકોટ દ્વારા આવતીકાલે તા.૫ના રવિવારના રોજ રાજકોટ શહેરમાં તથા જીલ્લામાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાના પ્રતીનીધીઓનું એક અધિવેશન સરસ્વતી શિશુ મંદિર, મારૂતિનગર, એરપોર્ટ રોડ ખાતે સવારે ૯ થી ૧ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સર્વશ્રી પ્રફુલભાઈ પટેલ, નીતિનભાઈ જાની તથા સૌરાષ્ટ્ર પ્રાંત ક્ષેત્રે નરેન્દ્રભાઈ દવે, ચુનીભાઈ પાલડિયા, પ્રકાશભાઈ કાગડા, જયેશભાઈ વારીયા, ભાવેશભાઈ ગંગાજરીયા વગેરે ઉપસ્થિત રહેશે.

ઉપરોકત અધિવેશનને સફળ બનાવવા નરેન્દ્રભાઈ દવે, ચુનીભાઈ પાલડીયા, પ્રકાશભાઈ કાગડા, જયેશભાઈ વારીયા, હરેશભાઈ મુંગરા, દિનેશભાઈ ગાંગાણી, તેજસભાઈ રાઠોડ, ઈલાબેન દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:59 pm IST)