Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

વાલીવારસ મુકીને જતા રહ્યા બાદ પંકજભાઇ નામના પ્રોૈઢનું સિવિલ હોસ્પિટલમાં મોત

લોહાનગરનું સરનામુ લખાવ્યું હતું: પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૪: સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૮માં ગઇકાલે એક પ્રોૈઢને બિમારી સબબ દાખલ કરવામાં આવ્યા હતાં. આ પ્રોૈઢને તેના વાલીવારસ મુકીને જતાં રહ્યા હતાં. તેમનું મોત નિપજતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રોૈઢને દાખલ કરવામાં આવ્યા ત્યારે કેસમાં તેમનું નામ પંકજભાઇ સવશીભાઇ (ઉ.વ.૫૦) અને તે લોહાનગરમાં રહેતાં હોવાનું લખાવાયું હતું. સારવાર દરમિયાન દમ તોડી દેતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. અશ્વિનભાઇ અને ક્રિપાલસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી છે. પોલીસ લોહાનગરમાં આવી કોઇ વ્યકિત રહે છે કે કેમ? તેની તપાસ કરવા જશે. તસ્વીરમાં દેખાતા પ્રોૈઢ વિશે કોઇને માહિતી હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:58 pm IST)