Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ભાજપ યુવા મોરચા દ્વારા સંકલ્પસિધ્ધ મંદિરે પોષ્ટકાર્ડ ઝુંબેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો પસાર કરવામાં આવતા આ કાયદા અંગે સૌમાં જાગૃતતા આવે તે હેતુથી શહેર યુવા ભાજપ દ્વારા પોષ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સંકલ્પસિધ્ધ હનુમાન મંદિર કાલાવડ રોડ ખાતે પોષ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરાયેલ તે સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જનજાગૃતિ  અભિયાન સમિતિના ઇન્ચાર્જ જીતુ કોઠારી, સહઇન્ચાર્જ માધવ દવે, રાજુભાઇ બોરીચા તેમજ યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, હીતેશ મારૂ, સતીષ ગમારા, અમિત બોરીચા, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, હીરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, જસ્મીન મકવાણા, દેવકરણ જોગરાણા, પ્રિતેશ પોપટ, વિશાલ માંડલીયા, જયરાજસિંહ જાડેજા, નાગજી વરૂ, પરેશ રબારી, અભય નાંઢા, સચીન કોટક, હરેશ સબાડ, મૌલિકસિંહ વાઢેર, પાર્થ જાવીયા, અજય રાઠોડ, હાર્દીક બોરડ, વિક્રમ માલા, દર્શન સોલંકી, કેવલ કાનાબાર, પરેશ ધોકીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)