Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સોરઠીયાવાડી ચોકમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પોસ્ટકાર્ડ ઝુંબેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો-૨૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે આ કાયદા અંગે લોકોમાં જાગૃતતા આવે એ માટે પ્રદેશ ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન છે જેમાં શહેર ભાજપ દ્વારા હાલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરામી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, જનજાગૃતી અભિયાન, રાજકોટ મહાનગરના ઇન્ચાર્જ જીતુ કોઠારી, સહઇન્ચાર્જ માધવ દવે, રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ જનજાગૃતી અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સોરઠીયા વાડી ચોક ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ધન્યવાદ આપતા પોસ્ટકાર્ડ લખવાનો ઝૂંબેશ કાર્યક્રમ યોજાયેલ. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, માધવ દવે સહીતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં સોરઠીયાવાડી ચોક ખાતે વિપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, જે.પી. ધામેચા, બાબુભાઇ હરસોડા, ભરત બોરીચા, રવજીભાઇ મકવાણા, નરેન્દ્ર મકવાણા, સંજયપુરી ગોસ્વામી, વિભાભાઇ રબારી, રાજનભાઇ સિંધવ, નરેશભાઇ ધરોહીયા, જીતુભાઇ સીસોદીયા, સુરેશભાઇ વસોયા, પ્રવીણભાઇ ખાચર, દિલીપસિંહ જાડેજા, અરવીંદભાઇ સોલંકી, વિશાલ પરમાર, વિજય કોશીયા, નરેશ પ્રજાપતી, દેવાંગ કુકાવા, ખેતશીભાઇ પરમાર, મહેશભાઇ ચૌહાણ, તેજશ રાઠોડ, ગુલાબભાઇ ધામેચા, હીતેશ ડોડીયા, પરેશ ડોડીયા, મનોજ ડોડીયા, રમેશ જાદવ, રાજુ મુંધવા, યુવરાજ ડાભી, મુકેશભાઇ મહેતા, મુકેશ ચાવડા, ફીચડીયાભાઇ, ગીરીશ પોપટ સહીતનાઓ ઝુંબેશ સફળ બનાવી હતી.

(3:56 pm IST)