Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મધુરમ હોસ્પીટલ પાસે થયેલા હુમલાના કેસમાં આરોપીના જામીન રદ કરવાની અરજી રદ

રાજકોટ તા ૪  :  રાજકોટ શહેરમાં મધુરમ હોસ્પિટલ પાસે સરાજાહેર આંતક મચાવવાના ગુન્હામાં પકડાયેલા જયદીપ ઉર્ફે જયલો દેવડાની જામીન રદ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, જયદીપ  દેવડાના મીત્ર અક્કી ઉર્ફે આકાશની સામે કેમ જોવે છે તેવી નાની બાબતમાં ફરીયાદી રીધ્ધીબા વિક્રમસિંહ જાડેજા કે જેઓ શ્રમજીવી સોસાયટી શેરી નં.૨/અ ખાતે રહે છે, ત્યાં જઇ જયદીપ વિજયભાઇ દેવડા, આકાશ ઉર્ફે અક્કી જાદવ, ઇન્દ્રજીતસિંહ મકવાણા, રીયાઝ ઉર્ફે લાલો વિગેરે ગેરકાયદેસર મંડળી રચી સાહેદો તથા ફરીયાદીને રાત્રીના ૮ કલાકે માર મારેલ તે અંગેની ફરીયાદ ભ.નગર પો.સ્ટે.માં નોંધાવેલ, ત્યારબાદ આ કામના આરોપીઓ ત્યાંથી નઅટકતા તેઓએ ૪૫ મીનીટ બાદ એટલે કે રાત્રીના ૮.૪૫ કલાકે માર ખાનાર સાહેદો કે તેઓને મધુરમા હોસ્પીટલમાં સારવાર અંગે દાખલ કરેલ હતા. ત્યાં ધસી જઇ ફરીયાદી ભગીરથભાઇ ભુપેન્દ્રભાઇ પરમાર કે જેઓ મધુરમ હોસ્પિટલના દરવાજે ઉભા હતા તેની પાછળ દોડીને તેઓને છરી તથા તલવારના ઘા મારી મરણોતર ઇજાઓ પહોંચાડેલ, આ અંગેની બીજી ફરીયાદ પણ ભ.નગર પો.સ્ટે.માં નોંધાયેલ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા જયદીપ ઉર્ફે જયલાને રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી હદપાર કરવામાં આવેલ હતો, તેમ છતાં તે રાવકોટમાં નહીં મળતા પોલીસ દ્વારા તેને પકડવાની કાર્યવાહી કરતા, જયદી, ઉર્ફે જયલાએ પોલીસ ઉપર તલવાર દ્વારા હુમલો કેલ હતો.

આ અન્વયેની ફરીયાદ જયદીપ ઉર્ફે જયલા  ઉપર નોંધાયેલ હતી, જેથી પોલીસ દ્વારા તથા ભગીરથભાઇ ભુપેન્દ્રભાઇ પરમાર દ્વારા નામ. સેશન્સ અદાલતમાં જયોદીપ ઉર્ફે જયલાના ઉપરોકત ગુન્હામાં જામીનની શરતોના ભંગ અન્વયે જામીન રદ કરવા અરજી કરેલ હતી. સદરહુ અરજી થયા બાદ જયદીપ ઉર્ફે જયલા ઉપર ર જાહેરનામાના ભંગના કેસો તથા એક જુગાર ધારાનો કેસ થયેલ હતો. સદરહુ જામીન રદ કરવાની અરજી જયદીપ ઉર્ફે જયલા ઉપર નોટીસ બજતા જયદીપ ઉર્ફે જયલાએ પોતાના એડવોકેટ વિમલ એચ. ભટ્ટ, મનીષ સી. પાટડીયા તથા પંકજ જી. મુલીયા પોતાનો બચાવ કરેલ હતો અને વિવિધ હાઇકોર્ટ તથા  સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજુ કરીને દલીલો કરેલ હતી, જે ધ્યાને લઇને સેશન્સ અદાલતે પોલીસ દ્વારા તથા ભગીરથભાઇ ભુપેન્દ્રભાઇ પરમાર દ્વારા નામે સેશન્સ અદાલતમાં જયદીપ ઉર્ફે જયલાના ઉપરોકત ગુન્હામાં જામીનની શરતોના ભંગ અન્વયે જામીન રદ કરવા અરજી ફગાવી દીધેલ હતી અને જયદીપ ઉર્ફે જયલાના જામીન ચાલુ રાખવા હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં જયદીપ ઉર્ફે જયલો વિજયભાઇ દેવડા વતી વિમલ એચ. ભટ્ટ, મનીષ સી. પાટડીયા તથા પંકજ જી. મુલીયા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(3:54 pm IST)