Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

મવડી જસરાજનગરના સોરઠીયા પ્રજાપતિ પરષોત્તમભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૪: મવડી જસરાજનગર-૩માં રહેતાં પરષોત્તમભાઇ જેરામભાઇ ટાંક (ઉ.વ.૫૭) નામના સોરઠીયા પ્રજાપતિ પ્રોૈઢ સાંજે ઘર નજીક ગાયત્રી કિલનીક પાસે હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ અજીતસિંહ જાડેજા અને હિતેષભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. પરષોત્તમભાઇ મુળરાણાવડવાળાના વતની હતાં. અગાઉ તેઓ મિસ્ત્રી કામ કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતા હતાં. તે ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:09 pm IST)