Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રેસકોર્ષ ગીતા વિચારથી ગુંજ્યુઃ સ્વાધ્યાય પરિવારના હજારો યુવાનોની ઉપસ્થિતિમાં વકતૃત્વ સ્પર્ધાનું ફાઇનલઃ પૂ. જયશ્રી દીદીની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ : આજે અહીંના રેસકોર્ષ મેદાન ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા યોજાયેલ યુવાનોની ગીતા વિચાર અંગેની વકતૃત્વ સ્પર્ધાનો ફાઇનલ માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ૧૬ હજારથી વધુ યુવાનો એકત્રિત થઇ અલગ અલગ કૃતિભકિત દ્વારા ગીતા વિચારો રજૂ કર્યા હતાં. તસ્વીરમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાખો સ્વાધ્યાયીપ્રેમીઓ તેમજ સ્પર્ધકો નજરે પડે છે. આ પ્રસંગે ખાસ પૂ. જયશ્રી દીદીએ ઉપસ્થિત રહી અને સ્વાધ્યાય પરિવારના યુવા ભાઇઓ-બહેનોને પ્રોત્સાહિત કર્યા હતાં. પૂ. દાદા (પાંડુરંગ આઠવલેજી) એ ચિંધેલા આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા આશિર્વચન પાઠવ્યા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:37 pm IST)