Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

નવા બાંધકામના નિયમોમાં સુધારો કરોઃ કોંગ્રેસ

રાજકોટ :. સરકાર દ્વારા નવા જીડીએસઆર અમલી બનાવવામાં આવ્યો છે ત્યારે આ નવા બાંધકામમા સુધારા કરવા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીને પત્ર પાઠવી યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, નવા નિયમોને આધિન નાના પ્લોટોમાં મકાન બાંધકામ કે લોરાઈઝ બિલ્ડીંગના બાંધકામ સહિતના પ્રશ્ને યોગ્ય કરવા જણાવવામાં આવ્યુ હતું. ઉપરોકત તસ્વીરમાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાની, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, વિજય વાંક, મનસુખભાઈ કાલરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા તથા સંજય અજુડીયા, પરેશ હરસોડા તથા મવડીના વિસ્તારવાસીઓ નજરે પડે છે.

(3:42 pm IST)