Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રેલનગરની સગીરાનું અપહરણઃ શકદાર કનૈયા ઉર્ફ કાના રાજપૂતનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૪: પોપટપરાથી આગળ રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ યુ-સી-૧૧માં રહેતાં અને દાણાપીઠમાં કામ કરતાં મુકેશભાઇ શાહુમલ નવલાણી (ઉ.૪૮)ની ૧૬ વર્ષની દિકરી ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે ગૂમ થતાં પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં અપહરણનો ગુનો નોંધાયો છે.

પોલીસે શકદાર તરીકે પોપટપરા-૧૫માં રહેતાં કનૈયા ઉર્ફ કાનો ચરણસિંહ રાજપૂત સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુકેશભાઇએ જણાવ્યા મુજબ પોતે ગઇકાલે દૂકાનેથી ઘરે આવેલ ત્યારે પુત્રએ વાત કરી હતી કે દિકરી ઘરમાં નથી. આસપાસમાં તપાસ કરવા છતાં તે મળી નહોતી. અગાઉ પોતે પોપટપરામાં રહેતાં હોઇ ત્યાં બાજુમાં કનૈયો ઉર્ફ કાનો રાજપૂત રહેતો હતો. તેની સાથે દિકરીને પરિચય હોઇ અને હાલમાં તે પણ હાજર ન હોઇ જેથી તે ભગાડી ગયાની શંકા ઉપજી હતી.

પી.આઇ. બી.એમ. કાતરીયા, સંજયભાઇ દવે અને વિરભદ્રસિંહે તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)