Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

વિપુલભાઇ દોશીનો ધર્મમય - સેવામય જીવનના ૬૩માં વર્ષમાં પ્રવેશ

વિમલનાથ દેરાસરના કન્વીનર

રાજકોટ તા. ૩ : આજરોજ મૌન એકાદશીએ સેવાપ્રેમી ધર્મપ્રેમી વિપુલભાઈ દોશીએ ૬ર વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાંં પ્રવેશ કરેલ છે. તેઓ વિમલનાથ દેરાસરના કન્વીનર, કાલાવડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ પારસધામ દેરાસરનાં જોઈન્ટ સેક્રેટરી, કૃષ્ણનગર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, વાસૂપૂજય જિનાલય, મુનીસુવ્રત સ્વામી શાસ્ત્રીનગર જિનાલય, જયાનંદ ધામ રાજકોટ અવધ રોડ, શ્રી પ્રાર્થના જૈન યુવક મંડળ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સાધર્મીક સહાય મંડળના ટ્રસ્ટી તરીકે પણ તેઓ જવાબદારી સંભાળી રહયા છે.

તેઓ જૈન જાગૃૃતિ સેન્ટર રાજકોટ, રાજકોટ બોલ બેરીંગ મરર્ચન્ટ એસોસીએશનના ફાઉન્ડર પ્રમુખ તેમજ જૈન જાગૃતિ સેન્ટર વીલે પારલે મુંબઈ, જૈન જાગૃતિ સેન્ટર જુહુના સેક્રેટરી અને કમિટિ મેમ્બર તરીકે પણ તેઓ રહી ચૂકયા છે. ૩૬ બહેનોનાં સમૂહ લગ્ન, ર યુવા મેળા,ઙ્ગ બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાપ્રવૃતિઓ પણ તેમનાં દ્વારા સેવાઓ કરવામાં આવેલ છે. જૈન અગ્રણીઓ, જૈનેતરો તથા શ્રેષ્ઠીઓ દ્વારા વિપુલભાઈ દોશી (મો. ૯રર૮૭૬પ૬૮૮) પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(4:08 pm IST)