Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

રાજકોટની શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલમાં ઝારખંડના અફરોઝ અન્સારીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

દર્દીના બે વાલ્વ લીક હતા, હૃદયના ધબકારા અનિયમીત હતા, શ્વાસ ચડી જતો

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે દર્દીઓને ગરીબ હૃદયરોગના  વિનામૂલ્યે  નવ જીવન આપીને આ હોસ્પિટલે સેવાક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે.. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૧ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

 આવું જ એક  દર્દી અફરોઝ અલબુદીન અન્સારી ઉમર ૧૯ વર્ષ રહેવાસી ગામૅં માનપુર  જિલ્લો ગઢવા, ઝારખંડ નું રહેવાસી  હદયની  તકલીફના નિદાન માટે આવેલ હતું.

  દર્દીના કુટુંબના ૮ સભ્યો છે. પેશન્ટના પિતા મજૂરીકામ  કરે છે. તેમની માસિક આવક આશરે રૂ.૧૫,૦૦૦  છે.  દર્દીને હદયની તકલીફ છેલ્લા ૧૦ વર્ષ થી હતી. તેઓએ રાયપુર માં આવેલી હોસ્પિટલમાં નિદાન કરાવતા હદયના વાલ્વની બીમારી છે. અને ઓપરેશન  કરાવવું પડશે. તેમ જણાવેલ હતું. પરંતુ આ ગરીબ કુટુંબ આર્થીક મુશ્કેલી ને હિસાબે ઓપરેશન નો ખર્ચ કરી શકે તેમ ન હતા

 જયારે આ દર્દી  શ્રી  સત્ય સાંઈ  હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે આવતા જરૂરી રિપોર્ટ્સ કરતા માલુમ પડેલ હતું કે દર્દીના  ૨  વાલ્વ લીક કરતા હતા . આ કારણે હદયના ધબકારા ખુબ જ અનિયમિત  થઇ  જતા  હતા. દર્દીને ચાલવામાં  ખુબ શ્વાસ ચડતો હતો. હૃદય પણ ખુબ પહોળું થઈ ગયું હતું. આ તકલીફને હિસાબે પેટ માં પાણી ભરાઈ ગયું હતું. આ દર્દીનું એક વાલ્વ બદલવાનું અને એક વાલ્વ રિપેર કરવાનું ઓપરેશન સફળતાપૂર્વક વિના મુલ્યે કરવામાં આવેલ હતું.

(4:31 pm IST)