Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગાયકવાડીમાં બેભાન થઇ જતા ૯૦ વર્ષના અજાણ્યા વૃધ્ધનું મોત

રાજકોટ, તા. ૩ :  શહેરના ગાયકવાડી શેરી નં.પ બેભાન હાલતમાં અજાણ્યા વૃધ્ધનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ગાયકવાડી શેરી નં.પ માં પટવારપીરની દરગાહ પાસે એક ૯૦ વર્ષના અજાણ્યા વૃધ્ધ બેભાન હાલતમાં પડ્યા હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ના ઇએમટી નયનભાઇ પટેલે તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયું હોવાનું જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.પી. વેગડાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

જો કોઇ આ વૃધ્ધના સગાસંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર  ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:56 pm IST)