Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મનહર પ્લોટમાં રાજસ્થાની વૃધ્ધ ધનરાજભાઇએ અગ્નિસ્નાન કર્યુ

પેટના દુઃખાવાથી કંટાળીને પગલું: સારવાર હેઠળ

રાજકોટ તા. ૩: મનહર પ્લોટ-૯-એ ક્રિષ્ના એપાર્ટમેન્ટ ૩૦૩માં રહેતાં ધનરાજભાઇ રામનારાયણ શર્મા (ઉ.૭૫) નામના વૃધ્ધે પોતાના પહેરેલા કપડા સળગાવતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. ધનરાજભાઇ મુળ રાજસ્થાનના છે. સંતાનમાં એક પુત્ર રાજેન્દ્રભાઇ છે જે ફાસ્ટફૂડનો ધંધો ખરે છે. તેના કહેવા મુજબ ધનરાજભાઇને પેટનો દુઃખાવો રહેતો હોઇ અને પેશાબની તકલીફ થતી હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું.

સ્લમ કવાર્ટરમાં ગેલાભાઇએ એસિડ પી લીધું

જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં ગેલાભાઇ બટુકભાઇ સોઢા (ઉ.૩૦)એ એસિડ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:53 pm IST)