Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

શહેર ભાજપ દ્વારા સંયમના માર્ગે જનારા દીક્ષાર્થીઓનું સન્માન

રાજકોટઃ રાષ્ટ્રસંત નમ્રમુની મહારાજ સાહેબની નિશ્રામાં બે દીકરીઓ દીક્ષાના માર્ગે જઈ રહી છે ત્યારે સત્ય ધર્મનો સંદેશ આપીને હજારો ભાવિકોની સંયમની દીક્ષા તરફ લઈ જઈ રહેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ સાહેબના પરમ શરણમાં બંને દીકરીઓ દીક્ષા ગ્રહણ કરશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા એસ્ટ્રોન ચોક ખાતે દીક્ષાર્થીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મનીષ ભટ્ટ, સંગીતાબેન છાયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદિપ ડવ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, જીતુ સેલારા, રમેશ પંડ્યા, કિરીટ ગોહેલ, કાથડભાઈ ડાંગર, દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, અશ્વીન ભોરણીયા, વર્ષાબેન રાણપરા, નિતીન રામાણી, અલ્કાબેન કામદાર, મુકેશ મહેતા, નયનાબેન પેઢડીયા, કીરણબેન માકડીયા, હારૂનભાઈ શાહમદાર, ડી.બી. ખીમસુરીયા, ગુણુભાઈ ડેલાવાળા, કિરીટભાઈ પાઠક, મયુર શાહ, જયદીપસિંહ જાડેજા, અતુલ પંડીત, રાજુ ઘેલાણી, જયશ્રીબેન પરમાર, જયશ્રીબેન રાવલ, શૈલેષ ડાંગર, મયંક પાંઉ, વજુભાઈ લુણાસીયા, પુર્વેશ ભટ્ટ, નારણભાઈ બોળીયા, આનંદ જાવીયા, જે.ડી.ઉપાધ્યાય, અર્જુન ઠાકુર, મનીષ પટેલ, ગીરીશ કોટક, વીમલ ઠોરીયા, શાહનવાજ હુસેન, વિજય ચાવડા, પ્રદીપ ધાધલ, ચંદ્રેશ પરમાર, રાજુ વાઢેર , રાજુ મુંધવા, હીતેષ ઢોલરીયા, માલતીબેન જાની, નિલેશ શાહ, જયસુખ બારોટ, સુજીત ઉદાણી, કેતન ગોસલીયા, પપુ ચૌહાણ, નરેન્દ્ર મકવાણા, મીતલ ખેતાણી, અશોક જાદવ સહીતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)